~~~~~~~~~~~~~~~~~~
શિવસાગર, સંયમસાગર અને પ્રેમસાગરને નિર્દોષ સાબિત કરો અને
જીતો પાંચ લાખ રૂપિયા!
વધુ વિગતો માટે અહીં ક્લિક કરો
~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~
શિવસાગર, સંયમસાગર અને પ્રેમસાગરને નિર્દોષ સાબિત કરો અને
જીતો પાંચ લાખ રૂપિયા!
વધુ વિગતો માટે અહીં ક્લિક કરો
~~~~~~~~~~~~~~~~~~
મહાવ્યભિચારી શિવસાગરને અપાઈ રહેલા આચાર્યપદની દુર્ઘટનાના અમંગલ અવસરે મારા તરફથી ખુલ્લી ચેલેન્જ
પ્રિન્ટેબલ વર્ઝન માટે અહીં ક્લિક કરો (પીડીએફ ફાઇલ)
‘ભગવાનની આજ્ઞા’નાં તમામ કપડાં ફાડી નાખીને આ લોકો તેની ઉપર જાહેરમાં બળાત્કાર ગુજારી રહ્યા છે અને બીજા લોકો ખુલ્લેઆમ થઈ રહેલા આ તમાશાની મજા માણી રહ્યા છે.
શિવસાગરને અપાઈ રહેલું આચાર્યપદ એ આ યુગની સૌથી મોટી નાલેશીઓ પૈકીની એક છે. સંઘમાં અસ્તિત્વ ધરાવતી જાત જાતની સમિતિઓના મોઢા ઉપર સણસણતો તમાચો છે. ખુલ્લેઆમ ભજવાઈ રહેલી નૌટંકીની પરાકાષ્ઠા છે. નહોર વિનાના વનરાજોને વાંદરાએ મારેલી ઝાપટ છે. દિવાળીકલ્પમાં દર્શાવેલા આંકડા પૂરા કરવા માટે આદરાયેલી કવાયત છે.
અનંતાનંત મહાવ્યભિચારી શિવસાગરની સેક્સકાંડમાં સંડોવણીની કબૂલાત એવા જ અનંતાનંત મહાવ્યભિચારી સંયમસાગર દ્વારા ટેલિફોનિક વાર્તાલાપ દરમ્યાન થઈ ચૂકેલી છે. સંયમસાગરે સ્પષ્ટ રીતે કબૂલ્યું છે કે તેની સાથે સાથે શિવસાગરની પણ સેક્સકાંડમાં સામેલગીરી હતી. આ કબૂલાત વાંચવા માટે વાચકો ‘જય જિનેન્દ્ર’ માસિકનો અંક નંબર સાડા બત્રીસ રિફર કરી શકે છે. અંક નંબર સાડા બત્રીશ વાંચવા માટે અહીં ક્લિક કરી શકાય છે.
શિવસાગરના ગુરુ અત્યારે કરુણાજનક હાલતમાં દિવસો કાપી રહ્યા છે. તેઓ ન તો બોલવાની સ્થિતિમાં છે કે ન તો ચાલવાની સ્થિતિમાં છે. જે દિવસે શિવસાગરનાં પાપો તેમની સામે ખુલ્લાં પડ્યાં તે જ દિવસથી આઘાતમાં સરકી પડેલા અને બદતર હાલતમાં દિવસો પસાર કરી રહેલા આ પરાધીન ગુરુનું દયામણું મોં જોઈને એમના કોઈક સમયના ઝંડાધારીઓ પણ ‘અરે રે…’થી આગળ કશું કરવાની કે વિચારવાની સ્થિતિમાં નથી. શિવસાગરે પરાધીન ગુરુની પરવશતાનો પૂરતો ગેરફાયદો ઉઠાવીને પંન્યાસપદ આંચકી લીધું હતું ત્યારે પણ આ ચેલેન્જ આપનારે અવાજ ઉઠાવ્યો હતો. એ વખતે પણ શિવસાગરના ગુરુ તેને ભગવતીજીના યોગોદ્વહન કરાવવાની કે પંન્યાસ પદ આપવાની માનસિક કે શારીરિક સ્થિતિમાં નહોતા. આજે પણ નથી. આખાં યોગોદ્વહન જ ગેરકાયદે અને બોગસ હતાં. શિવસાગરનું પંન્યાસપદ પણ ગેરકાયદે અને બોગસ છે. એટલે જ આ વખતે શિવસાગરે પોતાને કહેવાતા આચાર્યપદની કહેવાતી ક્રિયા કરાવે એવા ક્રિયાકારકને ઝાલી લાવવાની અગમચેતી વાપરવી પડી છે. નવ નવ આચાર્યો ધરાવતા સમુદાયમાં કોઈને પદપ્રદાનની વિધિ માટે બહારથી ક્રિયાકારકને આયાત કરવા પડે એ બાબત પોતે જ ઘણું બધું કહી જાય છે. સમજદાર માટે ઇશારો કાફી છે. શિવસાગરને આચાર્યપદ આપવા તૈયાર થયેલાઓને તેમના ગચ્છાધિપતિશ્રીની આ મામલે સમ્મતિ કે આજ્ઞા છે કે નહીં તે આપણે નથી જાણતા.
…પણ જૈનસંઘમાંનો સમજદાર અને વિચારક વર્ગ તો સારી રીતે જાણે છે કે શિવસાગર સહિતના સાધુઓ પોતાની નિર્દોષતા ક્યારેય પૂરવાર કરી શક્યા નથી, કરી શકવાના પણ નથી. માત્ર કેટલાક ચોક્કસ વ્યક્તિઓના પીઠબળથી જ, કેટલાંક ચોક્કસ કારણોસર, એક ગંદી રમતના ભાગ રૂપે, શિવસાગરાદિને છાવરવામાં આવ્યા છે. આ બધો ઇતિહાસ ‘જય જિનેન્દ્ર’ના જૂના અંકોમાં ઉપલબ્ધ છે. આ અંકો વાંચવા નીચે આપેલી લિંકો ક્લિક કરી શકાય છે.
શિવસાગર, સંયમસાગરાદિ ત્રિપુટી સામે તેઓએ સેકસ માણ્યા અંગે, અગાઉ અનેક વાર અનેક પુરાવાઓ સાથે ચેલેન્જ આપી ચૂક્યો છું અને આજે ફરી એક વાર પચાસ લાખ જૈનોની સાખે જાહેર ચેલેન્જ આપું છું કે જેની માએ સવા શેર સૂંઠ ખાધી હોય તે, આ મામલે, મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે. આ મામલે, જો ભારતનું ન્યાયતંત્ર મને ખોટો ઠરાવે તો, હું મારો ૪૧ વર્ષનો દીક્ષાપર્યાય જતો કરવા તૈયાર છું.
યે પોઇન્ટ નોટ કિયા જાએ, યોર ઑનર! પચ્ચીસસોથી વધુ વરસ જૂના વીરશાસનના ઇતિહાસમાં આવી ગંભીર ઓફર કોઈએ આપી છે?
નિવેદક : મુનિ મિત્રાનંદસાગર